પોલીસ અધિક્ષક, પંચમહાલ
http://www.sppanchmahal.gujarat.gov.in

નાગરીક સુવિધા કેન્દ્ર

6/7/2025 4:25:21 PM

પોલીસ અધિક્ષક, પંચમહાલ, ગોધરાની કચેરી ખાતે સ્વતંત્ર કોમ્પ્યુટર સુવિધા સજજ અલગ નાગરીક સુવિધા કેન્દ્વ તારીખ ૧પમી ઓગષ્ટ સને ર૦૦૧ ના રોજ માન. પ્રભારી - શક્ષિણ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલના વરદ હસ્તે માન. મંત્રીશ્રી પ્રભાતસીંહ ચૌહાણ, રાજયસભાના સભ્યશ્રી ગોપાલસીંહ સોલંકી, તથા જીલ્લા કલેકટર શ્રીમતી જયંતિ રવિ વગેરે મહાનુભાવો અને નાગરીકોની ઉપસ્થીતીમાં શરૂ કરવામાં આવેલ અને સદર નાગરીક સુવિધા કેન્દ્વ ખાતે મળતી અરજીઓ માટે ખાસ શોફટવેર ડેવલપ કરાવી તેનો અમલ તારીખ ૧.૧.ર૦૦ર થી શરૂ કરવામાં આવેલ છે.

સદરહુ નાગરિક સુવિધા કેન્દ્વ ખાતે નાગરિકોને બેસવા માટે પુરતી સગવડ તેમજ પાણીની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવેલ છે. તેમજ સદરહુ નાગરિક સુવિધા કેન્દ્વનુ સુપરવીઝન - મોનીટરીંગ પોલીસ અધિક્ષકની સુચના અને માર્ગદર્શન મુજબ નાયબ પોલીસ અધિક્ષકશ્રી, મુખ્ય મથકનાઓ જાતે કરે છે અને આ કેન્દ્વમાં જાણકાર કર્મચારીની નીમણુંક કરી અત્રેની કચેરીની મુલાકાતે આવતા નાગરિકોને તેઓની રજુઆતો-પ્રશ્નો બાબતે જરૂરી માર્ગદર્શન પુરૂ પડાય છે તેમજ તેઓને અરજી લખવા માટે કાગળ, પેનની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવે છે અને નાગરીકોના પ્રશ્નો રજુઆતો બાબતે ઉપલબ્ધ સુવિધા અને માઘ્યમોથી ખાસ અસરકારક ઘ્યાન આપી તંત્રને સજાગ અને સક્રીય કરી નાગરીકોના પ્રશ્નો હલ કરવા ખાસ પ્રયત્નો કરાય છે. તેમજ નાગરીક અધિકાર પત્રની નકલો-પેમ્ફલેટ પણ નાગરીકોને ઉપલબ્ધ કરી જરૂરી જાણકારી અપાય છે.

સદરહુ નાગરિક સુવિધા કેન્દ્વ ખાતે અત્રેની કચેરીને મળતી નાગરીકોની અરજીઓ તથા ઉપરી અધિકારીશ્રીઓ તરફથી મળતી નાગરીકોની અરજીઓ બાબતની કાર્યવાહી પણ હાથ ધરાય છે અને અત્રેની કચેરી ખાતે મળતી નાગરીકોની અરજી-રજુઆત બાબતે જરૂરી તપાસ કરાવી તપાસની વગિતસભરનો યોગ્ય પ્રત્યુત્તર નાગરીકોને પાઠવવામાં આવે છે. આમ નાગરીકોને ફકત તેઓની અરજી-રજુઆત મળ્યા બદલની પહોંચને બદલે ખરેખર તેઓની અરજી-રજુઆત બાબતે થએલ કાર્યવાહીની વગિતસભરનો પ્રત્યુતર પાઠવી પ્રજાલક્ષી અભગિમ દાખવી ખુબ જ અસરકારક કામગીરી કરવામાં આવે છે જેને નાગરીકો દ્વારા સકારાત્મક પ્રતિસાદ મળેલ છે.

આમ હાલમાં અત્રેની કચેરી ખાતે હયાત નાગરીક સુવિધા કેન્દ્વ (જન સેવા કેન્દ્વ) ખુબ જ સારી અને અસરકારક રીતે પ્રજાલક્ષી અભગિમ દાખવી ખુબ જ ફળદાયક, પરિણામલક્ષી અસરકારક કામગીરી કરે છે જ આ નાગરીક સુવિધા કેન્દ્વ ખાતે વધુ સવલતો ઉપલબ્ધ કરવા અંગેના ભવષ્યિના આયોજન તરીકે ગુજરાત સરકારશ્રીના સામાન્ય વહીવટ વભિાગના ઠરાવ ક્રમાંકઃ નઅપ.૧૦ર૦૦૪. ૮૩૮.વસુતાપ્ર.૧ તારીખ ર૪.૯.ર૦૦૪ તથા ગળહ વિભાગના ક્રમાંકઃ નઅપ.૧૦ર૦૦૪.૧૬૪૯.આર તા. ૩.૧૧.ર૦૦૪ અન્વયે હાલના કાર્યરત જન સેવા કેન્દ્વોને અપડેટ કરવાનું નકકી કરવામાં આવેલ છે તદ゙અનુસાર અત્રેની કચેરી ખાતેના હયાત નાગરીક સુવિધા કેન્દ્વ-જન સેવા કેન્દ્વનેને અપડેટ કરવા અને સદરહુ ઠરાવમાં નકકી કરેલ ડીઝાઈન મુજબના નીચે મુજબના કુલ ૬ (છ) કાઉન્ટરો ઉભા કરી વધુ ‘સારી સેવાઓ ઉપલબ્ધ બનાવવાનું આયોજન છે.

  • જન સંપર્ક - ઉપરી કચેરી-અધિકારીશ્રીઓ તરફથી મળેલ અરજી

  • સ્થાનીક અરજી

  • પરવાના લાયસન્સ

  • પાસપોર્ટ - નો ઓબ્જેકશન

  • ચારીત્ર વેરીફીકેશન

  • ફોર્મસ

અને સદરહુ જન સેવા કેન્દ્વ ખાતે જરૂરીઆત મુજબનું એક સારી કંપનીનું ઝડપી પ્રીન્ટર કમ કોપીયર, એર કન્ડીશનર, કાચના દરવાજા, રૂમની ફોલ સીલીંગ, જરૂરી કાઉન્ટરના ટેબલ ખુરશી, કબાટ, બેઠક વ્યવસ્થા, રૂમનું જરૂરીયાત મુજબનું રીનોવશન તેમજ સરકારશ્રીના ઠરાવ તેમજ સીડીમાં જણાવ્યા મુજબના જરૂરીયાત મુજબના બોર્ડ વગેરે વગેરે મુકવાનું આયોજન છે.