|
|
વિદેશી નાગરિકો માટેની માહિતી
વિદેશી નાગરિકો
- જુદા જુદા દેશોના વિદેશી નાગરિકોનાં રજિસ્ટ્રેશન કરવામાં આવે છે.
- વિદેશી નાગરિકોની ભલામણો સચિવશ્રી, ગૃહ વિભાગ, ફોરેન્સિક શાખા, બ્લોક નં.ર સચિવાલય ગાંધીનગર ખાતે મોકલવામાં આવે છે.
- માઈનોર વિદેશી નાગરિકોની નોંધણી
- વિદેશી નાગરિક ભારત છોડવાના ૧૦ દિવસમાં"" નો ઓબ્જેકશન સર્ટિફિકેટ"" મેળવવાનું રહે છે.
- લાંબાગાળા માટે, ટૂંકાગાળા, રિર્ટન વિઝા માટે ની દરખાસ્તો ભલામણ સહિત સરકારશ્રીમાં મોકલવામાં આવે છે.
- એક્સટેન્શન માટેની ભલામણો કરતી વખતે ફોટોગ્રાફ, પાસપોર્ટની ઝેરાક્ષ નકલ, લગ્નનું પ્રમાણપત્ર, એઈડનું પ્રમાણપત્ર, જરૂરી વિઝા ફીનાં ચલણો વગેરે માંગવામાં આવે તે દસ્તાવેજો સાથે અરજી નિયત ફોર્મમાં કરવાની હોય છે.
- વિદેશી નાગરિકોનાં આગમન અને ભારત છોડ્યા અંગેની માહિતી.
પાકિસ્તાની નાગરિકો/બાંગ્લાદેશી નાગરિકો
- પાક./બાંગ્લાદેશી નાગરિકોની નોંધણી
- તેમના વિઝા કેસોની ભલામણો
- ભારતીય નાગરિકત્વ માટેની પ્રક્રિયા ( Indian Citizenship)
- પાક./બાંગ્લાદેશી બનાવટી પાસપોટૅ, ખોવાયેલ પાસપોર્ટ સબંધી તપાસણી કરાવવી.
પાસપોટૅ મેળવવા સામાન્ય જાણકારી
- અત્રેની પંચમહાલ જિલ્લાની કચેરી ખાતેથી પાસપોર્ટ શાખામાંથી અરજદારોને પાસપોર્ટનું ફોર્મ રૂપિયા ૧૦/- ની ફી ભરી મેળવી શકાય છે. જે નિયત ફોર્મ ભરી અત્રે સ્વીકારવામાં આવે છે.
- ફોર્મ ભરી તે સાથે અસલ પ્રમાણપત્રો તેમ જ પ્રમાણિત કરેલાં જરૂરી પ્રમાણપત્રો સામેલ રાખવાં.
- પુખ્ત વય માટે રૂ. ૧૦૦૦/- અને સગીર વય માટે રૂ. ૬૦૦/- ના ડિમાન્ડ ડ્રાફટ આર.પી.ઓ.શ્રી અમદાવાદના નામના રાષ્ટ્રીય બેન્કના ચેક રજૂ કરવાના રહે છે.
- પાસપોટૅ સ્વીકારી તુર્તજ DPACC સોફટવેર દ્વારા કોમ્પ્યુટરમાં ડેટા એન્ટ્રી કરવામાં આવે છે. જે તે પોલીસ સ્ટેશનમાં ખરાઇ કરવા માટે મોકલવામાં આવે છે.
- અરજી ખરાઇ થઈ આવેથી તુર્તજ DPACC સોફટવેર ઘ્વારા કોપ્યુટરમાં CLEAR કરવામાં આવે છે. અને ખરાઇ થઈ આવેલ અરજી મોકલી આપવામાં આવે છે.
- અરજદારની ફાઈલ કયા તબ્બકા ઉપર છે. તે અત્રેની કચેરીએથી કોમ્પ્યુટર ઉપરથી જાણી શકાય છે.
- અત્રેની એલ.આઈ.બી. શાખાનો ટેલિફોન નંબર ૦ર૬૭ર-ર૪૦ર૦૬ છે.
|
|
|